શિવરાજસિંહ ચૌહાણનો દાવો: રાઈટ બ્રધર્સ પહેલા ભારતમાં ‘પુષ્પક વિમાન’ હતું, પ્રાચીન ટેક્નોલોજી પર ગર્વ

શિવરાજસિંહ ચૌહાણનો દાવો: રાઈટ બ્રધર્સ પહેલા ભારતમાં ‘પુષ્પક વિમાન’ હતું, પ્રાચીન ટેક્નોલોજી પર ગર્વ

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભોપાલના ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER)ના 12મા દિક્ષાંત સમારોહમાં પ્રાચીન ભારતની ટેક્નોલોજી વિશે દાવો કર્યો છે કે, રાઈટ બ્રધર્સે વિશ્વનું પહેલું એરોપ્લેન શોધ્યું તે પહેલાં જ ભારતમાં ‘પુષ્પક વિમાન’ હતો. મંત્રીએ જણાવ્યું કે, ભારતની ટેક્નોલોજી અત્યંત એડવાન્સ હતી, પરંતુ ગુલામીની ખીણમાં પડતા વિજ્ઞાન અને ટેક્નોલોજીની પ્રગતિ અટકી ગઈ, તેમણે પ્રાચીન ભારતની શસ્ત્ર ટેક્નોલોજી પર પણ પ્રકાશ પાડ્યો અને મહાભારતમાં વર્ણવાયેલા અગ્નિઅસ્ત્ર, વરુણઅસ્ત્ર અને બ્રહ્મઅસ્ત્રની ઉલ્લેખ કર્યો.

મંત્રીએ દાવો કર્યો કે, આ શસ્ત્રો લક્ષ્યને ભેદીને જ પાછા આવતા હતાં, જે આજે મિસાઈલ અને ડ્રોન ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં જોવા મળે છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાના દેશમાં રહેવા, બ્રેઇન ડ્રેઇન ઘટાડવા અને ભારતના વિકાસમાં યોગદાન આપવા અપીલ કરી.

મંત્રીએ ભારતની પ્રાચીનતા અને ઋષિ-મૂર્તિઓના જ્ઞાન માટે દેશભક્તિ વ્યક્ત કરી અને જણાવ્યું કે, જ્યારે વિશ્વના વિકસિત દેશો હજુ વિકાસના પ્રારંભમાં હતા, ત્યારે ભારતમાં વેદો રચાયા અને ઉપનિષદોનું પઠન ચાલી રહ્યું હતું. તેમણે ખાતરી આપી કે કોઈપણ કૃષિ વેપાર સોદા ભારતીય ખેડૂતોને નુકસાન પહોંચાડશે નહીં.

તે પહેલાં, કેન્દ્રીય પૂર્વ મંત્રી અનુરાગ ઠાકુરે પીએમશ્રી શાળાના વિદ્યાર્થીઓને સંબોધિત કરતાં દાવો કર્યો હતો કે, અંતરિક્ષમાં સૌથી પહેલા યાત્રા કરનાર હનુમાનજી હતા, નિલ આર્મસ્ટ્રોંગ પહેલા નહીં.

 

Leave a Reply

Your email address will not be published.