યુક્રેન અને રશિયાની યુદ્ધગતિ છેલ્લા લગભગ ચાર વર્ષથી ચાલુ છે અને હાલમાં કિવ પર રશિયાના ભયાનક હુમલામાં ઓછામાં ઓછા 14 લોકોના મોત થયા છે, જ્યારે 48 લોકો ઘાયલ થયા છે, જેમાં ત્રણ બાળકોનો સમાવેશ થાય છે. આ હુમલામાં અનેક રહેણાંક બિલ્ડિંગ્સ અને ઓફિસ સેન્ટર્સને નુકસાન પહોંચ્યું છે, જેમાં યુરોપિયન યુનિયનના પ્રતિનિધિમંડળની ઇમારત પણ સામેલ છે.
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી એ આ હુમલાની સખત નિંદા કરી છે અને કહ્યું કે રશિયાના આ હુમલાની નિંદા માત્ર યુરોપીયન યુનિયન દ્વારા જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ દ્વારા થવી જોઈએ. તેમણે રશિયાને નવા પ્રતિબંધો લાદવાની માંગ પણ કરી. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનએ જણાવ્યું કે, રશિયાએ એક જ રાતમાં 629 મિસાઇલ અને ડ્રોન છોડ્યા, જે આતંક અને બર્બરતાનો પુરાવો છે.
રશિયાના સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે, તમામ લક્ષ્યો હાંસલ કરવામાં આવ્યા છે. આ હુમલામાં હાઇપરસોનિક કિંજલ મિસાઇલ અને ડ્રોનનો ઉપયોગ થયો છે. રશિયા જણાવ્યું છે કે તે યુક્રેન પર હુમલો ચાલુ રાખશે, કારણ કે યુક્રેન પણ રશિયાના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરી રહ્યું છે. તેમ છતાં, રશિયા રાજકારણ અને કૂટનીતિ દ્વારા લક્ષ્યો હાંસલ કરવા માટે વાતચીત માટે તૈયાર છે.
યુદ્ધ સમાપ્ત કરવા માટે વિશ્વના અનેક નેતાઓ જેમ કે અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રયાસો કર્યા છે. તાજેતરમાં, ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે બેઠક કરી હતી, પરંતુ બંને બેઠક નિષ્ફળ રહી અને યુદ્ધ સમાપ્ત કરવા માટે કોઈ નિશ્ચિત નિર્ણય લઈ શકાયો નથી.

Leave a Reply