જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું: 7નાં મોત, અનેક મકાનો ધરાશાયી

જમ્મુ-કાશ્મીરના રામબનમાં આભ ફાટ્યું: 7નાં મોત, અનેક મકાનો ધરાશાયી

જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં આભ ફાટ્યાની ઘટનાએ ભારે વિનાશ મચાવ્યો છે. રાજગઢ વિસ્તારમાં અચાનક આવેલા ભારે વરસાદ અને પૂરને કારણે અનેક મકાનો ધરાશાયી થઈ ગયા હતા. શરૂઆતમાં 3 લોકોના મોતની પુષ્ટિ થઈ હતી, પરંતુ બચાવ અભિયાન દરમિયાન મૃતકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળમાં દટાયેલા હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે અને રેસ્ક્યૂ કામગીરી જોરશોરથી ચાલુ છે.

સ્થિતિ ગંભીર બનતા તંત્રે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. ભારે વરસાદને કારણે નદીઓના જળસ્તરમાં વધારો થવાથી રાહત કાર્યમાં મુશ્કેલી પડી રહી છે. અનેક રસ્તાઓ ધોવાઈ જતાં પરિવહનમાં ભારે અવરોધ ઊભો થયો છે.

તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. પ્રભાવિત પરિવારો માટે અસ્થાયી રાહત કેમ્પોની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published.