બિહારની રાજનીતિમાં શનિવારે વિશેષ ઘટનાઓ નોંધાઈ, જ્યારે આરામાં વોટર અધિકાર યાત્રાના સમાપન કાર્યક્રમમાં તેજસ્વી યાદવે મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો હોવાનો જાહેર કર્યો. સ્ટેજ પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ હાજર રહ્યા.
તેજસ્વીએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કર્યો અને તેમને ‘ડુપ્લિકેટ મુખ્યમંત્રી’ ગણાવ્યો. તેમનું કહેવું હતું કે સરકાર તેમની યોજનાઓની નકલ કરી જનતા સામે રજૂ કરી રહી છે, જ્યારે મહાગઠબંધન આગળ આગળ ચાલી રહ્યું છે. તેમણે જનતાને સવાલ ઉઠાવ્યો કે, “તમારે ઓરિજિનલ મુખ્યમંત્રી જોઈએ કે ડુપ્લિકેટ?” અને જણાવ્યું કે જનતા હવે બદલાવ ઇચ્છે છે.
થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી સાથે કરવામાં આવેલા સંવાદમાં તેજસ્વીએ મુખ્યમંત્રી ચહેરા અંગે કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો હતો, પરંતુ આજે આરાના સમાપન કાર્યક્રમમાં તેમને ખુલ્લેઆમ જાહેરાત કરી દીધી કે મહાગઠબંધનનો ‘ઓરિજિનલ મુખ્યમંત્રી ચહેરો’ તે તેજસ્વી યાદવ છે.
સપા પ્રમુખ અખિલેશ યાદવે લાલુ યાદવ સાથે બેઠક બાદ જણાવ્યું કે, “બિહારમાં મહાગઠબંધનનો મુખ્યમંત્રી ચહેરો તેજસ્વી યાદવ જ હશે. તેમણે રેકોર્ડ સંખ્યામાં નોકરીઓ આપી છે અને કામ કરીને બતાવ્યું છે. તેમનાથી સારો મુખ્યમંત્રી ચહેરો કોઈ ન હોઈ શકે. અમે સૌ તેમની મદદ કરીશું.”

Leave a Reply