ગુજરાતમાં વોટચોરીના મામલે રાજકીય ગરમાવો વધતા, કોંગ્રેસે રાજ્યમાં ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં રવિવારે (31મી ઓગસ્ટ) ‘વોટર અધિકાર’ જનસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગેનીબેન પટેલ, ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા. ગેનીબેને આ પ્રસંગે કહ્યું કે, ‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું છે. 2017ની ચૂંટણી દરમિયાન 7,500 ખોટા મતદારો પકડાયા હતા, પરંતુ ચૂંટણી પંચે કોઈ પગલાં ન લીધા.’
આ કાર્યક્રમ ‘વોટર ચોર, ગાદી છોડ’ના બેનર હેઠળ યોજાયો હતો. ગેનીબેનો દાવો છે કે સત્તાધારીઓએ લોકોને આપેલા વચનો પૂરા કર્યા નહીં, ત્યારે નાગરિકો માટે બંધારણ મુજબ સત્તા પરિવર્તન માટે મતાધિકાર પ્રદાન કરવામાં આવ્યો છે.
અમિત ચાવડાએ જણાવ્યું કે, ‘કેન્દ્રીય મંત્રીઓના મત વિસ્તારમાં ખોટા મતદારોની યાદી મળવી ખૂબ શરમજનક છે. ગુજરાતના તમામ વિધાનસભા મત વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવશે. રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી સહિતના અનેક પ્રશ્નો હલ થવા જોઈએ.’

Leave a Reply