દિલ્હીથી ઈન્દોર જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-2913ને ઉડાન ભર્યા થોડા જ સમય બાદ કોકપિટ ક્રૂને જમણા એન્જિનમાં આગ લાગ્યાનો સંકેત મળ્યો. તરત જ પાઈલટે સલામતીના ધોરણો અનુસરતાં એન્જિન બંધ કરી વિમાનને સુરક્ષિત રીતે દિલ્હી પરત લાવ્યું અને ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. એરલાઈન્સના જણાવ્યા અનુસાર, તમામ મુસાફરો સંપૂર્ણ સુરક્ષિત છે અને તેમને વૈકલ્પિક ફ્લાઈટથી ઈન્દોર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
ઘટના બાદ વિમાનને સંપૂર્ણ તપાસ માટે ગ્રાઉન્ડેડ કરાયું છે. એર ઈન્ડિયાએ જણાવ્યું કે DGCAને ઘટનાની જાણ કરવામાં આવી છે.
તાજેતરના સમયમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ્સમાં ટેકનિકલ ખામીઓના બનાવો વધ્યા છે. આ પહેલાં પણ 18 ઓગસ્ટે કોચી એરપોર્ટ પર દિલ્હી જતી ફ્લાઈટને અચાનક ટેકઓફથી અટકાવવી પડી હતી. 16 ઓગસ્ટે મિલાનથી દિલ્હી આવતી ફ્લાઈટ ટેકનિકલ સમસ્યાને કારણે રદ કરવી પડી હતી. આવી ખામીઓને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply