જામનગર શહેરમાં રોડ-રસ્તાઓની બગાડી અને ટ્રાફિક સમસ્યાઓને લઈને શહેર કોંગ્રેસ એ વર્ષોથી આગેવાની કરવામાં આવી છે. આંદોલન અને પ્રદર્શનના ઘણા પ્રયાસો છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવાતા નથી. એવા સંદર્ભમાં, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજાએ તેમના જન્મદિવસને અનોખી રીતથી ઉજવ્યો – ખાડા સ્વખર્ચે ભરીને માર્ગને સુરક્ષિત બનાવવા પ્રયાસ કર્યો. કોઈ સામાન્ય ઉજવણીના બદલે,...
Day: September 9, 2025
સિયાચેનમાં હિમસ્ખલન, ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કામગીરી શરૂ
દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાં ગણાતા સિયાચેન ગ્લેશિયરમાં હિમસ્ખલનના કારણે ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. પ્રારંભિક જાણકારી મુજબ, સેનાની એક પોસ્ટ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઈ, જેનાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. સેનાએ ઘટનાની જાણ થતા તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. લેહ અને ઉધમપુરથી વધારાની ટીમો પણ તાત્કાલિક મદદ માટે મોકલવામાં આવી...
નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર
નેપાળમાં ચાલી રહેલા હિંસક Gen Z આંદોલનને કારણે કાઠમંડુ એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને ભારતની એર ઈન્ડિયા તેમજ ઈન્ડિગોએ દિલ્હી-કાઠમંડુ વચ્ચેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. દિલ્હીથી કાઠમંડુ જતી ચાર મુખ્ય ફ્લાઈટ્સ — AI2231/2232, AI2219/2220, AI217/218 અને...
હિમાચલ પ્રદેશમાં પૂર આફત: પીએમ મોદીએ હવાઈ સર્વે કરીને 1500 કરોડની સહાયની કરી જાહેરાત
હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ભૂસ્ખલનથી સર્જાયેલી કુદરતી આફતને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો અને તરત જ રૂ. 1500 કરોડની નાણાકીય સહાય પેકેજ જાહેર કર્યું. પીએમએ મૃતકોના પરિવારોને રૂ. 2-2 લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી. સર્વે બાદ વડાપ્રધાને પીડિત પરિવારો સાથે મુલાકાત કરી તેમની...
એશિયા કપ 2025: રનર અપ ટીમ પણ થશે માલામાલ, ચેમ્પિયન ટીમને શું મળશે?
Asia Cup 2025 Prize Money: એશિયા કપ 2025ની શરૂઆત આજથી થઈ રહી છે. આ ટૂર્નામેન્ટની પહેલી મેચ અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે છે. 10 સપ્ટેમ્બરે ભારત પોતાની મેચની શરૂઆત UAE સામે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં કરશે. આ ટુર્નામેન્ટ 28 સપ્ટેમ્બર સુધી ચાલશે. ખાસ વાત એ છે કે, આ વખતે ભારત અને પાકિસ્તાન ત્રણ વાર પણ એકબીજા...
વાપી શહેર કોંગ્રેસનો આક્રોશ: રેલવે ફ્લાય ઓવરનું નિર્માણ ત્રણ વર્ષ બાદ પણ અધૂરું, તાળાબંધીની ચિમકી
વાપી: ત્રણ વર્ષ બાદ પણ રેલવે ફ્લાય ઓવરનું નિર્માણ અધૂરું રહેતા લોકોની ભારે હાલાકી સામે વાપી શહેર કોંગ્રેસે મંગળવારે મોરચો કાઢ્યો અને પીડબ્લ્યુ વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. કોંગ્રેસે ચેતવણી આપી કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કચેરીને તાળાબંધી કરવામાં આવશે. ત્રણ વર્ષ પહેલાં વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતો જુનો રેલવે ફ્લાય ઓવર તોડી...
ભારત બનાવશે ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’, 55 ફાઇટર જેટ લઈ જવાની ક્ષમતા
ભારત હવે પોતાની નૌસેનાને વિશ્વસ્તરે વધુ શક્તિશાળી બનાવવા તરફ મહત્વનું પગલું ભરવા જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે 6 ઓગસ્ટ 2025ના રોજ જાહેર કરેલી ટેકનોલોજી પર્સપેક્ટિવ એન્ડ કેપેબિલિટી રોડમેપ 2025 (TPCR-2025) હેઠળ દેશ પોતાનું પહેલું ન્યુક્લિયરથી સંચાલિત એરક્રાફ્ટ કેરિયર ‘INS વિશાલ’ બનાવશે. આ જહાજ ભારતને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીન અને પાકિસ્તાન જેવી પડકારરૂપ શક્તિઓ સામે મજબૂત જવાબ...
બિહાર ચૂંટણી 2025: બેઠક વહેંચણી મુદ્દે RJD-કોંગ્રેસમાં મતભેદ, દિલ્હીમાં રાહુલ ગાંધીની બેઠક
બિહાર વિધાનસભા ચૂંટણી 2025 નજીક આવતા જ રાજ્યના રાજકારણમાં ગરમાવો વધી ગયો છે. ખાસ કરીને મહાગઠબંધનના બે મુખ્ય સાથીઓ રાષ્ટ્રીય જનતા દળ (RJD) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને મતભેદ ખુલ્લા પડ્યા છે. કોંગ્રેસના કેન્દ્રીય હાઇકમાન્ડે આ પરિસ્થિતિમાં રણનીતિ ઘડવા માટે દિલ્હીમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ...
નેપાળમાં રાજકીય બળવો: ડેપ્યુટી PM બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર હુમલો
કાઠમંડુ: નેપાળમાં ચાલી રહેલા હિંસક વિરોધ પ્રદર્શનો વચ્ચે મંત્રીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી PM અને નાણા મંત્રી બિષ્ણુ પ્રસાદ પૌડેલ પર કાઠમંડુની ગલીમાં દોડાવી-દોડાવીને હુમલો કર્યો. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે ભીડે તેમને ઘેરી લીધા બાદ એક પ્રદર્શનકારીએ લાત મારી, જેના કારણે તેઓ નીચે પડી ગયા. ત્યારબાદ, ગુસ્સાયેલી ભીડે...
36 વર્ષનો સુદન ગુરુંગ: નેપાળના Gen Z આંદોલનનો ચહેરો, જેણે સત્તાના પાયા હચમચાવ્યા
કાઠમંડુ: નેપાળમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલા Gen Z આંદોલનના કેન્દ્રમાં 36 વર્ષીય સામાજિક કાર્યકર સુદન ગુરુંગ છે. હામી નેપાળ નામની એનજીઓના સ્થાપક ગુરુંગે દેશભરના યુવાઓને સંગઠિત કરીને ભ્રષ્ટાચાર, અસમાનતા અને સરકાર દ્વારા મૂકાયેલા સોશિયલ મીડિયા પ્રતિબંધ સામે લડતને દિશા આપી છે. આંદોલનની શરૂઆત 8 સપ્ટેમ્બરે થઈ, જ્યારે લાખો વિદ્યાર્થી અને યુવાનો એકસાથે રસ્તા પર ઉતર્યા....









