ભારતના રક્ષણ મંત્રાલયે એવા તમામ દાવાઓનો ખંડન કર્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતે અમેરિકાની સાથે ચાલી રહેલા અથવા આયોજનાધીન રક્ષણ કરાર અને ડિલ અટકાવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ રીતે આ દાવાઓને “ખોટા અને ઘડાયેલા” ગણાવી દેતા કહ્યું છે કે આવાં કોઈ નિર્ણય લેવાયા નથી.

તાજેતરમાં કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું હતું કે અમેરિકાના વધતા ટેરિફ વિવાદ વચ્ચે ભારતે શસ્ત્રો, વિમાનો અને મિસાઇલ સિસ્ટમ્સ સંબંધિત કરાર ને સ્થગિત કર્યા છે અને કે રક્ષા મંત્રી રાજનાથસિંહની અમેરિકા મુલાકાત પણ રદ કરી દેવામાં આવી છે. જોકે, રક્ષા મંત્રાલયે આવા તમામ અહેવાલોને નકારતા કહ્યું છે કે તમામ ચર્ચાઓ અને ખરીદીની પ્રક્રિયા નિયમિત રીતે ચાલી રહી છે.
મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે ભારતને પોતાની વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા માટે અમેરિકાની સાથે સંબંધો નિર્ભર રાખવાના છે અને આવા ખોટા અહેવાલો માત્ર જાહેર જનતાને ભ્રમિત કરવા અને દ્વિપક્ષીય સંબંધોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન છે.

Leave a Reply