સુરેન્દ્રનગરમાં 7 ઓગસ્ટે એક કોમ્પ્લેક્સના ધાબા પરથી મહિલાનો મૃતદેહ મળી આવવાથી ચકચાર મચી ગઈ હતી. મૃતક મહિલાના પતિએ પોલીસમાં આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાંચ જેટલા શખ્સોએ તેની પત્ની પર સામૂહિક દુષ્કર્મ આચરી હત્યા કરી દીધી. ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.
તપાસ દરમિયાન બાતમીદારોની મદદથી પોલીસએ પ્રકાશ પરમાર નામના એક આરોપીને ઝડપી લીધો છે. પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યું છે કે, પ્રકાશ પરમાર સાથે ઝુમા ભદાણી સહિત કુલ પાંચ લોકો સામેલ હતા. પોલીસે ખુલાસો કર્યો કે, આરોપીઓએ મહિલાને ધાબા પર લઈ જઈ તેના પર દુષ્કર્મ કર્યા બાદ મોતને ઘાટ ઉતારી હતી. હાલ ચાર આરોપીઓ ફરાર છે અને તેમની શોધ માટે પોલીસ ચક્રોગતિમાન થઈ છે.
ફરિયાદ બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનો આધારિત તપાસ શરૂ કરી છે. અત્યાર સુધીમાં ત્રણ જણા સામે ગુનો દાખલ થયો છે, જેમાંથી એકની ધરપકડ થઈ ગઈ છે.

Leave a Reply