પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી

પુતિન-ટ્રમ્પ મુલાકાત પર ભારતની પ્રતિક્રિયા: શાંતિ માટે વાતચીતને ભારતે જણાવ્યું જરૂરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે અલાસ્કામાં થયેલી ઐતિહાસિક મુલાકાતને ભારતે આવકારી છે. ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું કે શાંતિ માટે ઉઠાવવામાં આવેલા પગલાં સરાહનીય છે અને આગળનો રસ્તો માત્ર વાતચીત અને કૂટનીતિ દ્વારા જ શક્ય છે. મંત્રાલયે જણાવ્યું કે વિશ્વ યુક્રેન યુદ્ધનો વહેલો અંત જોવાનું ઈચ્છે છે.

આ મુલાકાત લગભગ ત્રણ કલાક ચાલી હતી, પરંતુ યુક્રેન યુદ્ધ પર કોઈ અંતિમ નિર્ણય થયો નહીં. બંને નેતાઓએ મીડિયા સાથેની વાતચીત માત્ર 12 મિનિટમાં પૂર્ણ કરી અને કોઈ સોદો જાહેર કર્યો નથી. આ બેઠકમાં કેટલીક સકારાત્મક બાબતો સાથે નવી ચિંતાઓ પણ ઉપજી છે.

ટ્રમ્પની ટીકા પણ થઈ છે, કારણ કે તેમણે પુતિન માટે રેડ કાર્પેટ પાથર્યું, તેમને પહેલા બોલવા દીધા અને કોઈ કરાર ન કરી શક્યા. પુતિને યુદ્ધવિરામ માટે સંમતિ આપી નથી, જે ટ્રમ્પ આશા રાખતા હતા. પુતિને વાતચીતમાં જણાવ્યું કે જો 2022માં ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત, તો યુક્રેન સંઘર્ષ શરૂ ન થયો હોત. તેમણે વધુમાં ઉમેર્યું કે ભૂતકાળના વર્ષો અમેરિકા-રશિયા સંબંધો માટે કઠિન રહ્યા છે અને હવે સુધારો ખૂબ જ આવશ્યક છે.

 

Leave a Reply

Your email address will not be published.