ચૂંટણી પંચે રવિવારે (17 ઓગસ્ટ) પ્રેસ કોન્ફરન્સ યોજીને ‘વોટ ચોરી’ના આરોપો પર મોટું નિવેદન આપ્યું. આ દરમિયાન બિહારમાં ચાલી રહેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની પ્રક્રિયા અને રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું કે તેના માટે પક્ષ અને વિપક્ષ બંને સમાન છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે જણાવ્યું કે, “કોઈપણ ફરિયાદ માટે ચૂંટણી પંચના દરવાજા હંમેશા ખુલ્લા છે. પરંતુ ‘વોટ ચોરી’ જેવા શબ્દોનો ઉપયોગ ખોટો છે. આ મુદ્દે કોર્ટમાં અરજી દાખલ કરવાની હતી. મતદારોના ફોટા, નામ અને ઓળખ જાહેરમાં બતાવવી સંપૂર્ણપણે ખોટું છે.”
તેમણે વધુમાં કહ્યું કે, “આ ગંભીર ચિંતાનો વિષય છે કે જિલ્લા સ્તરના પ્રમુખો અને તેમના દ્વારા નિયુક્ત કરાયેલા BLO દ્વારા ચકાસવામાં આવેલા દસ્તાવેજો અને પ્રમાણપત્રો રાજ્ય કે રાષ્ટ્રીય સ્તરના નેતાઓ સુધી નથી પહોંચતા અથવા તો જમીની હકીકતોને અવગણીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.”

Leave a Reply