અમેરિકા દ્વારા ચીનની વિસ્થાપન નીતિઓનો સામનો કરવા માટે ભારત સાથેના સંબંધો મજબૂત કરવા આવશ્યક છે એવું નિવેદન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રદૂત નિક્કી હેલીએ આપ્યું છે. ન્યૂઝવીકમાં પ્રકાશિત એક લેખમાં હેલીએ સ્પષ્ટ ભાષામાં ટ્રમ્પ વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે ભારત-અમેરિકા સંબંધો મહત્વપૂર્ણ તબક્કે છે અને જો વોશિંગ્ટન ચીન સામે ગઠબંધન મજબૂત બનાવવા માંગે છે, તો ભારત સાથેના તણાવ દૂર કરવો પડશે.
તેણે જણાવ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પના અધ્યક્ષપદ દરમિયાન રશિયન ઓઈલ ખરીદી અને ટેરિફ વિવાદો જેવા મુદ્દાઓને કારણે ભારત-અમેરિકા વચ્ચે તણાવ વધ્યો છે. ટ્રમ્પ સરકારે ભારત સામે 25 ટકા પારસ્પરિક ડ્યુટી તથા વધારાની 25 ટકા ટેરિફ લગાવ્યા હતા, જેના કારણે સંબંધોમાં તીવ્રતા આવી. હેલીએ જણાવ્યું કે જો ભારત તરફથી ઊર્જા ખરીદીથી પુતિનની યુક્રેન સામેની નીતિ માટે નાણાકીય સપોર્ટ મળી રહ્યો છે, તો પણ ભારતને દુશ્મન ગણીને દૂર ઠેલવું અમેરિકાની ભૂલ હશે.
તેમણે સ્પષ્ટ કહ્યું કે ચીનના વધતાં પ્રભાવ સામે લડવા માટે ભારત-અમેરિકા મિત્રતાની વધારે જરૂર છે અને આજની ગ્લોબલ પોલિટિક્સમાં બંને લોકશાહી દેશોનું સહયોગ ફક્ત વ્યૂહાત્મક નહીં પણ અનિવાર્ય છે.

Leave a Reply