વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી

વડાપ્રધાન મોદીએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે, 30 ઓગસ્ટે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદીમીર ઝેલેન્સ્કી સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. ઝેલેન્સ્કીએ યુક્રેનની હાલની પરિસ્થિતિ, માનવતાવાદી સમસ્યાઓ અને રાજકીય પરિસ્થિતિ અંગે વડાપ્રધાન મોદીને વિગતવાર માહિતગાર કર્યા. વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો આભાર વ્યક્ત કર્યો અને યુક્રેનના સંઘર્ષનું શાંતિપૂર્ણ સમાધાન લાવવા ભારતની તૈયારીઓ અને સહયોગ અંગે દૃઢ વલણ દર્શાવ્યું.

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને આજે ફોન કોલ માટે આભાર. અમે ચાલુ સંઘર્ષ, તેના માનવતાવાદી પાસા, શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવા માટેના પ્રયાસો પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું. ભારત આ દિશામાં તમામ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપે છે.”

જવાબમાં, ઝેલેન્સ્કીએ ‘X’ પર જણાવ્યું કે તેમણે પીએમ મોદીને વોશિંગ્ટનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુરોપીય નેતાઓ સાથે થયેલી ચર્ચાઓ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે યુક્રેન રશિયાના પ્રમુખ સાથે બેઠક માટે તૈયાર છે, પરંતુ છેલ્લા બે અઠવાડિયામાં મોસ્કોએ કોઈ સકારાત્મક સંકેત આપ્યા નથી અને નાગરિકો પર હુમલાઓ ચાલુ રહ્યા છે. ઝેલેન્સ્કીએ પીડિતોના પરિવારો માટે વડાપ્રધાન મોદા પ્રત્યે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને શાંઘાઈ સહયોગ સંગઠન સમિટ પહેલા બંને નેતાઓએ પોતાની સ્થિતિનું સંકલન કર્યું હોવાનું જણાવ્યું.

 

Leave a Reply

Your email address will not be published.