ટ્રમ્પની નફ્ફટાઈ: “ભારત સાથે હવે જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં, ત્યાં સુધી કોઈ વાત નહીં”

ટ્રમ્પની નફ્ફટાઈ: “ભારત સાથે હવે જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં, ત્યાં સુધી કોઈ વાત નહીં”

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સામે પોતાનું દબદબાવાળું વલણ યથાવત રાખતાં, 50% ટેરિફ મુદ્દે વધુ એક કડક સંદેશો આપ્યો છે. એક આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીએ જ્યારે ટ્રમ્પને પુછ્યું કે શું આ ટેરિફ બાદ ભારત સાથે વેપાર મંત્રણાઓ વધુ ઝડપી થશે, ત્યારે ટ્રમ્પે તૂંકો પરંતુ ગંભીર જવાબ આપ્યો: “ના… જ્યાં સુધી આ મુદ્દો ઉકેલાશે નહીં, ત્યાં સુધી કોઈ વાત નહીં.”

ટ્રમ્પના આ સ્પષ્ટ સંકેતથી સાબિત થાય છે કે અમેરિકા હાલ કોઈપણ ધીમી નીતિથી આગળ વધવા માટે તૈયાર નથી. 50% ટેરિફના આકસ્મિક નિર્ણય બાદ બંને દેશો વચ્ચે ચાલી રહેલા વ્યાપારિક તણાવ હવે ઊંડા રાજદ્વારી મતભેદોમાં ફેરવાઈ ચૂક્યા છે. ભારતે આ ટેરિફને એકપક્ષીય અને અન્યાયી ગણાવતાં તેની નીતિ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે અને આ મુદ્દા પર રાજદ્વારી વાટાઘાટો શરૂ કરી છે.

હાલના સંજોગોમાં, ભારત અને અમેરિકાના સંબંધો ઈતિહાસના એવા વળાંકે છે જ્યાં બંને દેશોએ વેપાર સાથે સાથે રાજકીય નફો-નુકશાનનું પણ મૂલ્યાંકન કરવાનું છે. ટ્રમ્પના શબ્દો માત્ર એક નિવેદન નથી, પણ તે એક સંકેત છે કે ભવિષ્યના વ્યાપાર સંબંધો કેટલી હદ સુધી આ મુદ્દા પર આધાર રાખશે. ભારતે ભલે શાંતિપૂર્ણ દિશામાં વાતચીત શરૂ કરી હોય, પણ ટ્રમ્પની આ દબાવવાદી ભૂમિકા ભારતની કૂટનીતિક કળાને પડકાર આપી રહી છે.

Leave a Reply

Your email address will not be published.