દિલ્હી-એનસીઆર સહિત સમગ્ર દેશમાં રખડતાં કૂતરાંએ જનજીવન માટે મુશ્કેલી ઊભી કરી છે અને હવે આ મુદ્દો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. રખડતાં કૂતરાં અંગે ચાલી રહેલી સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે, “અમે વિવાદ નથી ઇચ્છતા, ઉકેલ ઈચ્છીએ છીએ.”
ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે દિલ્હી સરકારને આદેશ આપ્યો છે કે આગામી 8 અઠવાડિયામાં રસ્તાઓ પરથી રખડતાં કૂતરાંને દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવાંમાં આવે. સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સ્પષ્ટતા કરી હતી કે, “કોઈ પણ વ્યક્તિ પ્રાણીઓથી નફરત નથી કરતી, પરંતુ લોકોની સુરક્ષા પ્રથમ છે.”
તેમણે જણાવ્યું કે નસબંધીના પ્રયાસો છતાં કૂતરાંના હુમલાના બનાવો અટકતાં નથી. “અમે કૂતરાંઓને મારી નાખવાનું કહી રહ્યા નથી, માત્ર માનવ વસાહતથી દૂર રાખવાનું સૂચવી રહ્યા છીએ.” લોકો પોતાના બાળકોને બહાર મોકલવામાં ડરી રહ્યા છે, અને માત્ર કાયદાથી નહિ પરંતુ કોર્ટના સ્પષ્ટ માર્ગદર્શનથી જ ઉકેલ આવી શકે છે.
અંતે સુપ્રીમ કોર્ટે આ મુદ્દા પર ચુકાદો અનામત રાખતાં સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે કાયદાની દિશામાં કડક પગલાં લેવામાં આવશે અને વિવાદથી વધુ મહત્વ ઉકેલ અપાશે.

Leave a Reply