પંચમહાલમાં દુર્ઘટના: તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત

પંચમહાલમાં દુર્ઘટના: તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષના કિશોરનું કરુણ મોત

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામમાં એક કરુણ ઘટના બની છે. તળાવમાં ડૂબી જવાથી 12 વર્ષીય કિશોર કશ્યપ યોગેશભાઈ બારીયાનું મોત થયું. આ દુર્ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને મૃતકના પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ છે.

મળતી માહિતી મુજબ, કિશોર તળાવમાં ડૂબી ગયો હોવાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઈટર ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. લાંબી શોધખોળ બાદ ટીમે કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો.

ઘટનાની જાણ થતાં રાજગઢ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનાએ સમગ્ર પંથકને શોકમાં ગરકાવ કરી દીધું છે.

Leave a Reply

Your email address will not be published.