“માત્ર આંસુ પુરાવા નહીં બને: હાઈકોર્ટનો દહેજ કેસમાં મહત્વનો નિર્ણય

“માત્ર આંસુ પુરાવા નહીં બને: હાઈકોર્ટનો દહેજ કેસમાં મહત્વનો નિર્ણય

દિલ્હી હાઈકોર્ટે દહેજ ઉત્પીડનના એક ગંભીર કેસમાં સ્પષ્ટ અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે નોંધ્યું કે, માત્ર પીડિતાના રડવાના આધાર પર કોઈ વ્યક્તિને ગુનેગાર ઠરાવી શકાય નહીં. આ ચુકાદાથી મૃત્યુ પામેલી પરિણીત મહિલાના પિતા દ્વારા દાખલ કરાયેલ અરજી ફગાવવામાં આવી છે અને તેના પતિ તથા સાસરિયાઓને આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની અધ્યક્ષતાવાળી બેન્ચે પોતાના નિર્ધારણમાં સ્પષ્ટ કર્યું કે, પીડિતાની બહેન દ્વારા આપેલ નિવેદનમાં કે પીડિતા હોળીના દિવસે રડતી હતી, એમાંથી દહેજ પીડનનો કેસ ઊભો થઈ શકે તેમ નથી. વધુમાં, મૃતક મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ ન્યૂમોનિયા કારણે મૃત્યુ થયું હોવાનું સ્પષ્ટ કરાયું છે.

મૃતકના પિતા દ્વારા લગાવવામાં આવેલ આક્ષેપો મુજબ, લગ્ન પછી દહેજની વધારાની માંગણી કરવામાં આવી હતી અને તેને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હતો. પરંતુ હાઈકોર્ટે સમજી લીધું કે એવી કોઈ મૂલ્યવાન કાનૂની વિગતો ઉપલબ્ધ નથી જે આ કેસને દહેજ પીડનના રૂપમાં સાબિત કરે.

Leave a Reply

Your email address will not be published.