કેરળના ત્રિશૂર જિલ્લાના નેશનલ હાઇવે પર મુસાફરોને ઘણી વાર ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે. આ અંગે સુપ્રીમ કોર્ટે મોટું નિવેદન આપ્યું છે. કોર્ટે પ્રશ્ન કર્યો છે કે જ્યારે ૬૫ કિમીનો અંતર એક કલાકમાં પાર થવો જોઈએ તે માટે મુસાફરને ૧૨ કલાક લગતા હોય, ત્યારે આવા રોડ માટે લોકો પાસે ટોલ ટેક્સ કેટલાં માટે વસૂલવો?
સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે કેરળ હાઇકોર્ટના એક આદેશ સામે નેશનલ હાઇવે ઓથોરિટી (NHAI) અને ટોલ વસૂલતી કંપનીએ અપીલ દાખલ કરી હતી. કેરળ હાઇકોર્ટએ સ્પષ્ટ કહ્યું હતું કે રોડની હાલત ખરાબ હોય તો ટોલ વસૂલવો યોગ્ય નથી, અને તે ટોલ બૂથને વસૂલી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
મુખ્ય ન્યાયાધીશ બી. આર. ગવઇની અધ્યક્ષતાવાળી બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, “જો મુસાફરો ખાડાંવાળાં રસ્તાઓ અને ટ્રાફિક જામના કારણે કલાકો સુધી ફસાયેલા રહે છે, તો તેમને ટોલ ટેક્સ ભરવા કેમ મજબૂર કરવામાં આવે? તેમજ, શું નેશનલ હાઇવે ઓથોરિટી આવા પ્રવાસીઓ માટે ઇંધણનો ખર્ચ અને શાંતિ જાળવવાના બદલામાં વળતર આપશે?”
આ હાઇવે પર અકસ્માતની ઘટનાની નોંધ પણ લેવામાં આવી હતી જ્યાં એક ટ્રક ખાડામાં ખાબકી જતાં લાંબો ટ્રાફિક જામ થયો હતો. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના આદેશમાં દખલ કરવાની પણ ના પાડી અને પ્રશ્ન કર્યો કે સામાન્ય નાગરિકો પાસેથી ટોલ ટેક્સ લેવું કેટલી હદે ન્યાયસંગત છે જ્યારે રૂટ પોતે જ અવ્યવસ્થિત છે?

Leave a Reply