Image source: IANS AB de Villiers: દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ દિગ્ગજ બેટર એ. બી. ડીવિલિયર્સે IPL 2026 પહેલા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)માં વાપસી કરવાનો સંકેત આપ્યો છે. તેણે ભવિષ્યમાં RCBના કોચ અથવા મેંટોર બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ડીવિલિયર્સે તેના કરિયરમાં સૌથી વધુ સમય RCBમાં વિતાવ્યો હતો. વિકેટકીપર બેટરે IPL કારકિર્દીની શરૂઆત 2008માં...
Day: August 25, 2025
કોંગ્રેસમાં કમલનાથ-દિગ્વિજય સિંહ વચ્ચે 5 વર્ષ જૂના વિવાદ પર તણાવ
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના બે દિગ્ગજ નેતા કમલનાથ અને દિગ્વિજય સિંહ ફરીથી સામસામે આવ્યા છે. પાંચ વર્ષ પહેલાનું વિવાદ, જ્યારે કમલનાથની સરકાર જીતીને પણ જ્યોતિરાદિત્ય સિંધિયા સમર્થકો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા, જેના કારણે રાજ્યમાં સરકાર પડી ગઈ હતી. હાલ રાજ્યમાં મોહન યાદવની સરકાર છે, પરંતુ જૂના મામલાને લઈને કમલનાથ અને દિગ્વિજય વચ્ચે તણાવ જોવા મળી રહ્યો...
પરિણીતી-રાઘવની ખુશખબર: કપલે જાહેર કરી પ્રેગ્નન્સી
બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ઢા જલદી માતા-પિતા બનવા જઈ રહ્યા છે. બંનેએ પોતાના ચાહકોને આ ખુશીના સમાચાર ઇન્સ્ટાગ્રામ પર શેરકર્યા છે. કપલે એક પોસ્ટમાં કેકની તસવીર રજૂ કરી હતી, જેમાં ‘1+1+3’ લખેલું હતું અને નવજાત શિશુના પગની નિશાની પણ દેખાઈ રહી હતી. આ સાથેની વીડિયોમાં બંને પાર્કમાં વૉક કરતા...
એલ્વિશ યાદવના ઘરે ફાયરિંગ કરનાર ગેંગના બે શૂટર પકડાયા
હરિયાણાના ગુરુગ્રામમાં પ્રખ્યાત યુટ્યુબર એલ્વિશ યાદવના ઘરે 17 ઓગસ્ટે થયેલી ફાયરિંગ કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસે વધુ બે શૂટર, ગૌરવ અને આદિત્યને પકડી પાડ્યા છે. બંને આરોપીઓ હિમાંશુ ભાઉ ગેંગ સાથે સંકળાયેલા છે અને બંને ફરીદાબાદના રહેવાસી છે. પોલીસે જણાવ્યું છે કે આરોપીઓને એલ્વિશ યાદવના ઘરે 24 રાઉન્ડ ફાયરિંગ કરવા બદલ 50-50 હજાર રૂપિયા...
સ્ટેજ 4 કેન્સર સામે લડી રહ્યા અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી, સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી લાગણીઓ
‘ગુલાબ ગેંગ’ અને ‘જોરમ’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કળાથી પ્રેક્ષકોનું દિલ જીતનાર અભિનેત્રી તનિષ્ઠા ચેટરજી હાલ જીવનની સૌથી કઠિન લડત લડી રહ્યા છે. તનિષ્ઠાએ ખુલાસો કર્યો છે કે તેને સ્ટેજ 4 ઓલિગો મેટાસ્ટેટિક કેન્સર છે અને તે છેલ્લા 8 મહિનાથી આ બીમારી સામે ઝઝૂમી રહી છે. તનિષ્ઠાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી પોતાની...
‘હેરા ફેરી 3’ બાદ ફિલ્મી દુનિયાને અલવિદા કરશે પ્રિયદર્શન, કહ્યું- હવે થાકી ગયો છું
પ્રખ્યાત ફિલ્મમેકર પ્રિયદર્શન હાલમાં તેમની આવનારી ફિલ્મ ‘હેવાન’ને લઈને ચર્ચામાં છે, જેમાં અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ફરી એકવાર સાથે નજર આવશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ કેરળના કોચીમાં ચાલી રહ્યું છે. પ્રિયદર્શને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘હેવાન’ પછી તે અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી અને પરેશ રાવલ સાથે ‘હેરા ફેરી 3’નું શૂટિંગ શરૂ કરશે. જોકે,...
ધરોઈ ડેમમાંથી સાબરમતીમાં પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને જળાશયો છલકાઈ ગયા છે, જેના પગલે સાબરમતી નદી પરના ધરોઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. હાલ ડેમનું જળસ્તર 188.68 મીટરે પહોંચ્યું છે. અધિકારીઓએ માહિતી આપી છે કે ધરોઈ ડેમમાંથી 1,07,248 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવ્યું છે, જેનો પ્રવાહ આશરે 10થી 12 કલાકમાં અમદાવાદના સુભાષ...
નિક્કી મર્ડર કેસમાં ચોંકાવનારો ખુલાસો: દહેજ, રીલ અને અત્યાચાર પાછળનો કાળો સત્ય
દિલ્હીના શ્રદ્ધા કાંડ જેવા જ નિક્કી યાદવ હત્યા કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. પતિ વિપિન ભાટી, સાસુ દયા ભાટી, જેઠ રોહિત ભાટી અને સસરા સતવીર ભાટીની ધરપકડ બાદ જાણવા મળ્યું છે કે વિપિને દહેજની માંગ કરી હતી અને નિક્કીને પાર્લર બંધ કરવા દબાણ કરતા હતા. પરિવારને નિક્કીનું કામ અને તેમની સોશિયલ...
ભારતીય નૌસેનામાં પહેલીવાર બે સ્ટીલ્થ ફ્રિગેટ્સ એક સાથે થશે સામેલ : INS ઉદયગિરી અને INS હિમગિરી
ભારતીય નૌસેનાના ઇતિહાસમાં પહેલીવાર બે અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ્સ – INS ઉદયગિરી (F35) અને INS હિમગિરી (F34)ને આવતીકાલે વિશાખાપટ્ટનમમાં એકસાથે સામેલ કરવામાં આવશે. આ અભૂતપૂર્વ ઘટના ભારતની સ્વદેશી ડિઝાઇન અને ઉત્પાદન ક્ષમતાનું પ્રતિબિંબ છે. બંને યુદ્ધજહાજો પ્રોજેક્ટ 17A (નીલગિરી-ક્લાસ) હેઠળ બનેલા છે, જે અગાઉના શિવાલિક-ક્લાસ ફ્રિગેટ્સનું અત્યંત આધુનિક સંસ્કરણ છે. આ બંને જહાજોની ડિઝાઇન ભારતીય નૌસેનાના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ: નિકોલમાં રોડ શો બાદ 5477 કરોડના વિકાસકાર્યોનું કર્યું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલના રોડ શો માટે રવાના થયા. પીએમ મોદીના આગમનને પગલે ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી દોઢ કિ.મી. લાંબી માર્ગસપાટી પર વિશેષ સ્ટેજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલમાં પીએમ મોદીએ રૂ. 5477 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા....









