અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા વધારાના 25 ટકા ટેરિફ આવતીકાલથી અમલમાં આવશે. આ પગલાથી અમેરિકાએ ભારત પાસેથી કુલ 50 ટકા ટેરિફ વસૂલવાની યોજના જાહેર કરી છે, જેના માટે સત્તાવાર નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યા છે. ટ્રમ્પના આ ટેરિફ વલણને કારણે આજે (26 ઑગસ્ટ) પીએમઓ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં ગૃહ મંત્રી, વાણિજ્ય મંત્રી અને અન્ય કેબિનેટ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા.
બેઠકમાં ટેરિફના પ્રભાવ અને તેના નિકાસ ક્ષેત્ર પર પડતાં અસરો વિશે ચર્ચા કરવામાં આવી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નિકાસકારો અને નિકાસ પ્રોત્સાહન સમિતિઓ સાથે બેઠક કરી, જેમાં નિકાસકારોએ ઈમરજન્સી ક્રેડિટ લાઇન ગેરેંટી સ્કીમ જેવી સરકાર સમર્થિત સહાયની માગ કરી. જોકે, અધિકારીઓએ જણાવ્યું કે સેક્ટર આધારિત ઉકેલો વધુ અસરકારક રહેશે.
વડાપ્રધાનની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠક બાદ સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે, જે ભારતીય નિકાસકારોને રાહત પૂરી પાડવા ઉપરાંત વૈકલ્પિક બજારો શોધવામાં મદદરૂપ થશે. આ બેઠક આ મહિનાના અંતમાં જાપાન અને ચીનની મહત્વપૂર્ણ અર્થવ્યવસ્થા મુલાકાત પહેલાં યોજાઈ રહી છે. શક્યતા છે કે સરકાર ભારતીય નિકાસકારો અને કામદારોની સલામતી માટે આર્થિક રાહત પેકેજ જાહેર કરી શકે. આ સાથે ટ્રમ્પના ટેરિફ હમલાને પહોંચી વળવા વૈકલ્પિક બજારો શોધવા માટેના પ્રયત્નો પણ વધારી દેવામાં આવશે.
નિષ્ણાતોના અભિપ્રાય પ્રમાણે, ટ્રમ્પ ટેરિફ ભારતના લગભગ 55% ઉત્પાદન ક્ષેત્રોની અમેરિકામાં નિકાસને અસર કરી શકે છે. આ ક્ષેત્રોમાં કપડાં, ઘરેણાં, ચામડાના ઉત્પાદનો, રમકડાં, રસાયણો, મશીન ટૂલ્સ, પ્લાસ્ટિક અને દરિયાઈ ઉત્પાદનોનો સમાવેશ થાય છે. આ ઉત્પાદનો દેશની મોટી વસ્તી માટે રોજગારી પ્રદાન કરે છે. ટ્રમ્પની નીતિ સાથે, આ ભારતીય ઉત્પાદનો અમેરિકામાં બિનસ્પર્ધાત્મક બની શકે છે, કારણ કે ભારતના મોટા ભાગના સ્પર્ધાત્મક ઉત્પાદનો હવે 50% દરના બદલે 30-35% ઓછા દરે ઉપલબ્ધ થશે, જેના કારણે અમેરિકાના બજારમાં આ ઉત્પાદનો ટકી રહેવું મુશ્કેલ બની જશે.

Leave a Reply