Shreyas Iyer: 2023ની શરૂઆતમાં જ્યારે શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો ત્યારબાદ રિકવરી બાદ ઘણી વખત ટીમમાં વાપસી કરી પરંતુ તે નિયમિતપણે પોતાનું સ્થાન બનાવી ન શક્યો. ત્રણેય ફોર્મેટના શાનદાર ખેલાડી શ્રેયસ અય્યરની કારકિર્દીમાં એક સમય એવો આવ્યો કે તે ટેસ્ટ, વન-ડે અને T20 ટીમમાં પોતાનું સ્થાન ન બનાવી શક્યો. 2024માં વિરાટ કોહલી ઈજાગ્રસ્ત થવાના કારણે અય્યરને...
Month: August 2025
જાડેજા-સ્ટોક્સ વિવાદ મુદ્દે સુંદરની પ્રતિક્રિયા, કહ્યું- ‘જ્યારે ઘણું બધું દાવ પર લાગ્યું હોય..’
Washington Sundar Breaks Silence On Manchester Test Handshake Controversy: ભારતીય ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે ઈન્ડિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરમાં રમાયેલી ચોથી ટેસ્ટ દરમિયાન થયેલી હેન્ડશેક કોન્ટ્રોવર્સી પર મૌન તોડ્યું છે. રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે ડ્રો માટે ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ સાથે હાથ નહોતો મિલાવ્યો, કારણ કે તેઓ સદીની નજીક હતા. જ્યારે બંનેએ પોતાની સદી પૂર્ણ...
‘જો રોહિત કેપ્ટન ન હોત તો તેને ટીમમાં સ્થાન…’ ઈરફાન પઠાણનું ફરી ચોંકાવનારું નિવેદન
Irfan Pathan On Rohit Sharma: રોહિત શર્માએ T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. રોહિતે T20 ફોર્મેટમાંથી ત્યારે સંન્યાસ લીધો હતો જ્યારે ટીમ ઈન્ડિયાએ તેની કપ્તાનીમાં 2024નો T20 વર્લ્ડ કપ જીત્યો હતો. પરંતુ, આ ભારતીય ખેલાડીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત ત્યારે કરી જ્યારે ભારત ઓસ્ટ્રેલિયા સામેની 2024-25 બોર્ડર-ગાવસ્કર ટ્રોફી હારી ગયું. ટીમ ઈન્ડિયાની આ...
બિહાર SIR કેસ: સુપ્રીમ કોર્ટનો આદેશ, 65 લાખ છૂટી ગયેલા મતદારોની યાદી ઓનલાઈન જાહેર થશે
બિહાર SIR કેસની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કોર્ટે ચૂંટણી પંચને સૂચના આપી છે કે રાજ્યના 65 લાખ છૂટી ગયેલા મતદારોના નામ જિલ્લા સ્તરની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે અને લોકોને તેમની માહિતી સરળતાથી મળી રહે તે માટે વ્યાપક પ્રચાર કરવામાં આવે. આ પગલાથી લોકશાહી પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો ઉદ્દેશ્ય છે. ચૂંટણી પંચે બૂથવાર...
સુરતમાં પાકિસ્તાની મહોલ્લાનું નામ બદલીને હિન્દુસ્તાની મહોલ્લો, સ્થાનિકોમાં ખુશીના ભાવ
સુરતમાં સ્વાતંત્ર્ય દિવસ પૂર્વે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રામનગર વિસ્તારમાં આવેલું પાકિસ્તાન મોહલ્લા તરીકે ઓળખાતું મહોલ્લાનું નામ હવે હિન્દુસ્તાની મહોલ્લો કરવામાં આવ્યું છે. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોના આધાર કાર્ડમાં પાકિસ્તાન મોહલ્લાનું નામ લખાતું હતું, જેને કારણે તેઓને અસહજતા અનુભવાતી હતી. હકીકતમાં, સુરત પાલિકાએ વર્ષ 2018માં જ આ નામ બદલવાનો ઠરાવ કર્યો...
જન્માષ્ટમીમાં વરસાદી તોફાન! ગુજરાતમાં 20મી સુધી ભારે વરસાદ સાથે એલર્ટ જાહેર
ગુજરાતમાં વિરામ બાદ ચોમાસાએ ફરી જોર પકડ્યું છે અને આગામી દિવસોમાં રાજ્યમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે. સાતમ-આઠમ જેવા મહત્વના તહેવારો વચ્ચે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે. 15મીથી 20મી ઓગસ્ટ દરમિયાન ચાર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ પડશે. હવામાન વિભાગ મુજબ, 15મી ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ,...
CSKએ ડેવાલ્ડ બ્રેવિસને ‘અંડર ધ ટેબલ’ પૈસા આપ્યા? અશ્વિનનો ચોંકાવનારો દાવો
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં અંડર ધ ટેબલ ડીલને લઈને ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી રવિચંદ્રન અશ્વિને મોટો ખુલાસો કર્યો છે. અશ્વિને દાવો કર્યો છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ દક્ષિણ આફ્રિકાના યુવા બેટ્સમેન ડેવાલ્ડ બ્રેવિસને ટીમમાં સામેલ કરવા માટે વધારાના પૈસા ચૂકવ્યા હતા. ડેવાલ્ડ બ્રેવિસ, જેને ક્રિકેટ જગતમાં ‘બેબી ડી વિલિયર્સ’ તરીકે ઓળખવામાં આવે છે, IPL...
સુરતમાં જન્માષ્ટમીના તહેવારે ખોલ્યા રોજગારીના દ્વાર, સૌરાષ્ટ્રની મહિલાઓએ વાઘા બનાવી કમાણીનો સાધન બનાવ્યો
સુરતમાં આવનાર શનિવારે જન્માષ્ટમીના તહેવારને લઈને બજારમાં ભગવાન શ્રીકૃષ્ણના વાઘા, શણગાર અને પારણાં જેવી વસ્તુઓની ભારે માંગ ઊભી થઈ છે. જન્માષ્ટમીના તહેવારમાં કાન્હાને પહેરાવાતા વાઘા મહિલાઓ માટે રોજગારીનું સશક્ત સાધન બની રહ્યાં છે. સુરતમાં સૌરાષ્ટ્રની અનેક મહિલાઓએ ભગવાનના વાઘા બનાવવાનો ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે, જેનાથી તેઓ પોતે કમાણી કરે છે અને સાથે અન્ય મહિલાઓને...
તમિલનાડુમાં બાળકોના અભાવે 1000થી વધુ શાળાઓ બંધ થવાના આરે, ઘટતો જન્મ દર મુખ્ય કારણ
તમિલનાડુમાં સરકારી અને ખાનગી શાળાઓ સામે મોટી સમસ્યા ઊભી થઈ છે. રાજ્યના શાળા શિક્ષણ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે 208 સરકારી શાળાઓ અને 869 ખાનગી શાળાઓમાં એક પણ વિદ્યાર્થીનું એડમિશન નથી થયું. આશ્ચર્યજનક વાત એ છે કે આ સ્થિતિ માટે શાળાઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા શિક્ષણનું સ્તર જવાબદાર નથી, પરંતુ ઘટતો જન્મ દર અને લોકોનું સ્થળાંતર...
ઈજાથી પીડિત રિષભ પંતનો ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ, કહ્યું- ‘મને આથી ઘણી નફરત છે’
ભારતીય ટેસ્ટ ટીમના વાઈસ કેપ્ટન ઋષભ પંત હાલ ગંભીર ઈજાને કારણે ક્રિકેટ મેદાનથી દૂર છે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ચોથી ટેસ્ટ મેચમાં ક્રિસ વોક્સના બોલ પર રિવર્સ સ્વીપ રમતાં તે ફ્રેક્ચરનો ભોગ બન્યો હતો. ઈજાની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે પંત મેદાન પર ઊભો રહી શકતો નહોતો અને તેને મીની એમ્બ્યુલન્સની મદદથી બહાર લઈ જવામાં આવ્યો...









