સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર હાઈવે પર ભયાનક માર્ગ અકસ્માત થયો હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. રવિવાર, 17 ઑગસ્ટના રોજ ઝમર ગામ નજીક બે કાર વચ્ચે ગમખ્વાર ટક્કર થઇ હતી. ટક્કર એટલી ભારે હતી કે તેમાં પૈકી એક કારમાં આગ લાગી ગઈ. આ ભીષણ દુર્ઘટનામાં એક જ પરિવારના ઓછામાં ઓછા 7 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક વિગતોમાં જાણવા મળ્યું છે.

આ અકસ્માતની જાણ થતા તાત્કાલિક આસપાસના સ્થાનિક લોકો, પોલીસ તંત્ર અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ થયેલ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. દુર્ઘટનાના કારણે હાઈવે પર ભારે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. હાલ પોલીસ દ્વારા ઘટનાની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતકોની ઓળખ કરવા માટે પ્રક્રિયા ચાલી રહી છે.

Leave a Reply