ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુ એક મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ, આગામી 48 કલાક રાજ્ય માટે ભારે સાબિત થઈ શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું જોર વધશે, જેના કારણે કેટલીક જગ્યાએ વિનાશક પરિસ્થિતિ સર્જાઈ શકે છે. દરિયાકિનારાના વિસ્તારોમાં ભારે પવનની સંભાવના છે, જેના કારણે માછીમારોને સાવચેતી રાખવાની ચેતવણી આપવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી શકે છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં આજે વરસાદની શક્યતા છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ શકે છે, જ્યારે ખેડૂતોને આ વરસાદથી રાહત મળી શકે છે.
તહેવારો દરમ્યાન પણ વરસાદ યથાવત રહેશે. ગણેશ ચતુર્થી અને પર્યુષણ દરમ્યાન વરસાદ ચાલુ રહેશે, સાથે જ 30 ઓગસ્ટ અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. આ વરસાદથી નર્મદા નદી બે કાંઠે થશે અને સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવાની શક્યતા છે, જે રાજ્ય માટે સારા સમાચાર છે.

Leave a Reply