વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલના રોડ શો માટે રવાના થયા. પીએમ મોદીના આગમનને પગલે ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી દોઢ કિ.મી. લાંબી માર્ગસપાટી પર વિશેષ સ્ટેજ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિકોલમાં પીએમ મોદીએ રૂ. 5477 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા. તેમાં રૂ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહૂર્ત અને રૂ. 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ ખાસ હતા.
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રૂ. 133 કરોડના ખર્ચે રામાપીરના ટેકરાના સેક્ટર-3માં ઝૂંપડપટ્ટી વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું. અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ અને રજિસ્ટ્રેશન ભવનનું ખાતમૂહૂર્ત પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવ્યું.
ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે ચાર માર્ગીય વ્યવસ્થા છ માર્ગીય બનાવવા માટે બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ રૂ. 1624 કરોડના ખર્ચ સાથે આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ રૂ. 555 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ પીએમ મોદીના હસ્તે થયું. પીએમ મોદીએ નિકોલ ખાતે જનસભામાં વક્તવ્ય આપીને વિકાસ અને પ્રગતિના પ્રયાસો અંગે પ્રજાને માહિતી આપી.

Leave a Reply