બિહારના નાલંદા જિલ્લામાં ગ્રામીણ વિકાસ મંત્રી અને જેડીયુ નેતા શ્રવણ કુમારના કાફલા પર ગ્રામીણોએ જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના હિલસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મલાવા ગામે બની હતી, જ્યાં મંત્રી માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા નવ લોકોના પરિજનોને મળવા માટે પહોંચ્યા હતા.
માહિતી મુજબ, મંત્રી સાથે સ્થાનિક ધારાસભ્ય પ્રેમ મુખિયા પણ હાજર હતા. મુલાકાત દરમિયાન અચાનક અસામાજિક તત્વોએ પથ્થરમારો અને હિંસક હુમલો શરૂ કર્યો. હુમલા દરમિયાન મંત્રીનો બોડીગાર્ડ સહિત અનેક સુરક્ષાકર્મીઓ ઈજાગ્રસ્ત થયા. ગ્રામીણોએ મંત્રીના કાફલાનો એક કિલોમીટર સુધી પીછો કરીને હુમલો ચાલુ રાખ્યો અને તેમને ગામમાંથી ભગાડી દીધા.
ઘટના બાદ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ કાબૂમાં લીધી અને સુરક્ષા વધારવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply