બિહારમાં ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ ઘૂસ્યા, રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર

બિહારમાં ત્રણ જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ ઘૂસ્યા, રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર

રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા દરમ્યાન બિહારમાં સુરક્ષા જાગૃતિ વધારી દેવા જેવી ઘટના સામે આવી છે. બિહાર પોલીસ હેડક્વાર્ટર દ્વારા માહિતી આપવામાં આવી છે કે નેપાળ મારફતે જૈશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદી રાજ્યમાં ઘૂસ્યા છે. હસનૈન અલી, આદિલ હુસૈન અને મોહમ્મદ ઉસ્માન દ્વારા રાજ્યમાં મોટું હુમલો કરવાની શક્યતા જણાઈ છે.

બિહાર હેડક્વાર્ટર દ્વારા જાહેર કરાયેલા સ્કેચ મુજબ, હસનૈન અલી રાવલપીંડીનો રહેવાસી છે, આદિલ હુસૈન ઉમરકોટનો અને મોહમ્મદ ઉસ્માન બહવલપુરનો રહેવાસી છે. આતંકીઓ ઓગસ્ટના બીજા સપ્તાહમાં કાઠમાંડુ પહોંચ્યા અને ત્રીજા સપ્તાહે નેપાળ સરહદ મારફતે બિહારમાં પ્રવેશ્યા. તેમની પાસપોર્ટ અને ઓળખ સંબંધિત વિગતો પણ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે.

રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને સરહદ પર ખાસ સાવચેતી રાખી છે. ભાગલપુર આસપાસના અરરિયા, કિશનગંજ, સુપૌલ, મઘુબની, સીતામઢી, પૂર્વીય અને પશ્ચિમ ચંપારણમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. બિહારમાં વર્ષના અંતે ચૂંટણી યોજાનારી હોવાથી, આ ઘટના પૂર્વ ચેતવણીના રૂપમાં ગણવામાં આવી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published.