ઉત્તરાખંડમાં ચોમાસાની ઋતુ સતત કુદરતી આફતો લઈને આવી રહી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વારંવાર આભ ફાટવાની ઘટનાઓ સર્જાતા ભારે વિનાશ ફેલાયો છે અને સ્થાનિકોમાં ભયનો માહોલ છે. ગઇકાલે રાતે ચમોલી જિલ્લાના દેવાલ વિસ્તારના મોપાટામાં ફરી એકવાર આભ ફાટ્યો હતો, જેના કારણે મોટી હાનિ થઈ છે. માહિતી મુજબ આ દુર્ઘટનામાં બે લોકો ગુમ છે, જેમા તારા...
Day: August 29, 2025
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતની મોટી ચાલ: સપ્ટેમ્બરમાં રશિયાથી વધુ ક્રૂડ ઓઇલ ખરીદશે: રિપોર્ટ
અમેરિકાના કડક સંદેશાઓ છતાં ભારત તેના ઊર્જા હિતોને પ્રાથમિકતા આપી રહ્યું છે. તાજેતરના અહેવાલ અનુસાર, ભારતીય રિફાઇનરીઓએ સપ્ટેમ્બર મહિનામાં રશિયાથી ક્રૂડ ઓઇલની ખરીદીમાં નોંધપાત્ર વધારો કરવાનો નિર્ણય લીધો છે. જોકે ભારત સરકાર અથવા રિફાઇનરીઓ તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, રોયટર્સને મળેલી માહિતી મુજબ ભારતીય કંપનીઓ ઓગસ્ટની તુલનામાં 10થી 20 ટકા વધુ ક્રૂડ...
જાપાન અને ચીનના પ્રવાસે વડાપ્રધાન મોદી: વ્યૂહાત્મક ભાગીદારી અને SCO સમિટ પર ધ્યાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ચીન જવા પૂર્વે જાપાન પહોંચ્યા છે. ટોક્યોના હાનેડા એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન 28 ઓગસ્ટે જાપાન અને ચીનની મહત્વપૂર્ણ મુલાકાત માટે રવાના થયા હતા. જાપાન મુલાકાત અંગે મોદીએ જણાવ્યું કે આ પ્રવાસ ભારતના હિતોને મજબૂત બનાવશે અને પ્રાદેશિક તેમજ...
ટ્રમ્પના સ્વાસ્થ્ય અંગેની અટકળો વચ્ચે ઉપપ્રમુખ જેડી વેન્સનું નિવેદન: “પ્રમુખ એકદમ ફિટ અને ઊર્જાવાન”
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પોતાના નિવેદનો અને નિર્ણયો માટે ચર્ચામાં રહે છે. પરંતુ તાજેતરમાં તેમના સ્વાસ્થ્યને લઈને અનેક અટકળો ઊભી થઈ છે. આ ચર્ચાઓ વચ્ચે ઉપપ્રમુખ જેડી વેન્સે જાહેરમાં કહ્યું કે, “ટ્રમ્પ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને તેમની અંદર અદ્ભુત ઊર્જા છે.” વેન્સે વધુમાં કહ્યું કે, “ટ્રમ્પ માત્ર તેમનો કાર્યકાળ પૂરું જ નહીં કરે, પરંતુ...
નોટબંધીના સમયના આરબીઆઈ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલ હવે IMFમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિમાયા
કેન્દ્ર સરકારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના પૂર્વ ગવર્નર ડૉ. ઉર્જિત પટેલને આગામી ત્રણ વર્ષ માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)માં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્તિને મંજૂરી આપી છે. ડૉ. ઉર્જિત પટેલે 2016માં રઘુરામ રાજન પછી આરબીઆઈના 24મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. તેમના કાર્યકાળ દરમિયાન ભારત સરકારે સૌથી મોટો નાણાકીય નિર્ણય — નોટબંધી — અમલમાં મૂક્યો...
‘100 ટકા ગેરંટી નહીં…’, એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ પર UAE ક્રિકેટ બોર્ડનું ચોંકાવનારું નિવેદન
Asia Cup 2025 : યુએઈના આબુધાબી અને દુબઈમાં 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન એશિયા કપ-2025 શરૂ થવાનો છે. જોકે તે પહેલા ભારત-પાકિસ્તાનની મેચને લઈને યુએઈ ક્રિકેટ બોર્ડે (Emirates Cricket Board) એક ચોંકાવનારું નિવેદન જાહેર કર્યું છે. બંને દેશો વચ્ચે 14 સપ્ટેમ્બરે મેચ રમાવાની છે. બંને વચ્ચે કુલ ત્રણ મેચ રમાઈ શકે છે. આ માટે બંનેએ...





