Day: August 29, 2025

પાટણમાં ધારાસભ્યના જન્મદિવસ હોર્ડિંગ્સ ઉતારવાના વિવાદે રાજકારણ ગરમાવ્યું
Post

પાટણમાં ધારાસભ્યના જન્મદિવસ હોર્ડિંગ્સ ઉતારવાના વિવાદે રાજકારણ ગરમાવ્યું

પાટણમાં રાજકીય ગરમાવો ફરી એકવાર જોવા મળ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસના હોર્ડિંગ્સ અને બેનરો ઉતારવામાં આવતા વિવાદ ઉભો થયો છે. આ મામલે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને ધારાસભ્ય આમને-સામને આવી જતા રાજકીય માહોલ વધુ તંગ બન્યો છે. માહિતી અનુસાર, ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકો અને કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવતા હોર્ડિંગ્સ...

અમદાવાદમાં ગણેશોત્સવ: 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડની સુવિધા
Post

અમદાવાદમાં ગણેશોત્સવ: 8 કરોડના ખર્ચે 49 વિસર્જન કુંડની સુવિધા

ગણેશોત્સવની શરૂઆત સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં કુલ 49 ગણેશ મૂર્તિ વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા છે. કુલ 40 સ્થળોએ આ કુંડ તૈયાર કરવા માટે અંદાજે 8 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. કોર્પોરેશન દ્વારા દરેક કુંડ તથા પંડાલની બે વખત સફાઈ કરવામાં આવશે. મૂર્તિ વિસર્જન માટે આવતા સ્થળો પર રજીસ્ટરમાં મૂર્તિની સાઈઝ અને સંખ્યા...

ઉત્તરાખંડમાં કુદરતી કહેર: રુદ્રપ્રયાગમાં વાદળ ફાટતાં તબાહી, 6 લોકો ગુમ અને અનેક વાહનો વહી ગયા
Post

ઉત્તરાખંડમાં કુદરતી કહેર: રુદ્રપ્રયાગમાં વાદળ ફાટતાં તબાહી, 6 લોકો ગુમ અને અનેક વાહનો વહી ગયા

ઉત્તરાખંડમાં અવિરત વરસાદે હાહાકાર મચાવ્યો છે. ચમોલી, રુદ્રપ્રયાગ અને ટિહરી જિલ્લાઓમાં મોડી રાતથી ભારે વરસાદને કારણે પરિસ્થિતિ ચિંતાજનક બની છે. રુદ્રપ્રયાગ જિલ્લાના બાસુકેદાર વિસ્તારમાં વાદળ ફાટતાં ભારે તબાહી સર્જાઈ છે. અહેવાલ મુજબ, આ જળપ્રલયમાં અનેક વાહનો વહી ગયા છે અને છ લોકો ગુમ થયા હોવાનું જાણવા મળે છે. ચમોલી જિલ્લામાં થયેલા ભૂસ્ખલનથી અનેક ઘરો ધસી...

પંજાબમાં ઐતિહાસિક પૂર: હજારો લોકો બેઘર, જાનમાલનું મોટું નુકસાન
Post

પંજાબમાં ઐતિહાસિક પૂર: હજારો લોકો બેઘર, જાનમાલનું મોટું નુકસાન

પંજાબમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે પૂરનું ભયંકર દ્રશ્ય સર્જાયું છે. હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરની સરહદ સાથે જોડાયેલા જિલ્લાઓમાં હાલ સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હજારો લોકો પોતાના ઘર છોડીને અસ્થાયી કેમ્પોમાં રહેવા મજબૂર બન્યા છે. ઘણા લોકોએ પોતાના મકાન અને સંપત્તિ ગુમાવી છે, તો કેટલાકને પશુઓને...

બિહારમાં 3 લાખ સંદિગ્ધ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત ન કરે તો મતદાર યાદીમાંથી નામ કપાશે
Post

બિહારમાં 3 લાખ સંદિગ્ધ મતદારોને ચૂંટણી પંચની નોટિસ, નાગરિકતા સાબિત ન કરે તો મતદાર યાદીમાંથી નામ કપાશે

બિહારમાં મતદાર યાદીની સમીક્ષા અંતિમ ચરણમાં પહોંચી છે અને ચૂંટણી પંચે 30 સપ્ટેમ્બરે અંતિમ યાદી જાહેર કરવાની તૈયારી કરી છે. આ દરમિયાન, ત્રણ લાખથી વધુ સંદિગ્ધ મતદારોના નામ યાદીમાંથી દૂર થવાના સંકેતો છે. પંચના જણાવ્યા અનુસાર, આ મતદારો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ગંભીર ખામીઓ મળી આવી છે, જેના આધારે નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી...

ભારતમાં શાળાઓમાં પ્રવેશ લેતા બાળકોની સંખ્યા ઘટી, શિક્ષણ મંત્રાલયનો અહેવાલ જન્મદર ઘટાડાને જવાબદાર ગણાવે છે
Post

ભારતમાં શાળાઓમાં પ્રવેશ લેતા બાળકોની સંખ્યા ઘટી, શિક્ષણ મંત્રાલયનો અહેવાલ જન્મદર ઘટાડાને જવાબદાર ગણાવે છે

દેશમાં સતત બીજા વર્ષે શાળાઓમાં પ્રવેશ મેળવનારા બાળકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા તાજા આંકડા મુજબ, વર્ષ 2024-25માં કુલ નોંધણી 24.69 કરોડ રહી, જે ગયા વર્ષની સરખામણીમાં આશરે 11 લાખ ઓછી છે. અગાઉ 2023-24માં આ આંકડો 24.80 કરોડ હતો, જ્યારે 2022-23માં 25.18 કરોડ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. એટલે કે, બે વર્ષમાં કુલ...

વડાપ્રધાન મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરોમાં હિંસક ઘર્ષણ
Post

વડાપ્રધાન મોદીને અપશબ્દ બોલવાના મામલે પટનામાં ભાજપ-કોંગ્રેસ કાર્યકરોમાં હિંસક ઘર્ષણ

પટના: વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અને તેમની માતાને અપશબ્દ બોલવાના મામલે આજે પટનામાં ભાજપ અને કૉંગ્રેસ કાર્યકરો વચ્ચે ધમાકેદાર મારામારી થઈ. ભાજપના કાર્યકરો દરભંગામાં થયેલી રેલી દરમિયાન પીએમ મોદીને અને તેમની માતાને અભદ્ર ટીપ્પણી કરવાનાં વિરોધમાં કૉંગ્રેસ કાર્યાલયની બહાર દેખાવા કર્યા હતા, જે બાદમાં આક્રમક બની ગયા. માધ્યમોમાં આવી રહેલા વીડિયોમાં બંને પક્ષના કાર્યકરો એકબીજાં પર...

ગાઝામાં હિંસક અથડામણ: ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં 71 પેલેસ્ટિનિયનના મોત, ઓપરેશન તેજ
Post

ગાઝામાં હિંસક અથડામણ: ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં 71 પેલેસ્ટિનિયનના મોત, ઓપરેશન તેજ

ગાઝા પટ્ટીમાં ઈઝરાયલી સૈન્ય અને હમાસ વચ્ચેની સીધી અથડામણ વધુ ભયાનક બની રહી છે. ગુરુવારે (28 ઓગસ્ટ) રાત્રે ગાઝા સિટી પર થયેલા ઈઝરાયલી બોમ્બમારમાં 16 લોકોના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. તાજા માહિતી મુજબ, અત્યાર સુધી ગાઝામાં ઈઝરાયલી હુમલાઓમાં કુલ 71 પેલેસ્ટિનિયનના મોત થયા છે. અહેવાલો અનુસાર, ગાઝાના દક્ષિણ ભાગમાં ખોરાક મેળવવા રાહત...

બોલિવૂડમાં ગણપતિ બાપ્પાની વિદાય: ગોવિંદાથી લઈને અનન્યા સુધી સેલેબ્સે કેવી રીતે કર્યું વિસર્જન
Post

બોલિવૂડમાં ગણપતિ બાપ્પાની વિદાય: ગોવિંદાથી લઈને અનન્યા સુધી સેલેબ્સે કેવી રીતે કર્યું વિસર્જન

ગણેશ ચતુર્થીના સમાપન સાથે બોલિવૂડ અને ટીવી સેલેબ્રિટીઝે પોતાના ઘરે લાવવામાં આવેલા બાપ્પાનું વિસર્જન શરૂ કર્યું છે. કોઈએ બાપ્પાને 11 દિવસ સુધી ઘરે રાખ્યા તો કેટલાકે 5 અથવા ઓછા દિવસમાં જ વિદાય આપી. ગુરુવારે ગોવિંદા, અનન્યા પાંડે, સલમાન ખાન અને અર્પિતા ખાન સહિત અનેક સેલિબ્રિટીઝે બાપ્પાનું વિસર્જન કર્યું. ગોવિંદાએ પોતાના પરિવાર સાથે બાપ્પાનું વિસર્જન કરીને...

2027ની વસતી ગણતરી પહેલા બદલાશે ભારતનો સત્તાવાર શહેરી નકશો: કેન્દ્રનું નવું પરિપત્ર ચર્ચામાં
Post

2027ની વસતી ગણતરી પહેલા બદલાશે ભારતનો સત્તાવાર શહેરી નકશો: કેન્દ્રનું નવું પરિપત્ર ચર્ચામાં

ભારતમાં આગામી વસતી ગણતરી 2027 પહેલા દેશનો સત્તાવાર શહેરી નકશો બદલાશે તેવી શક્યતા ઉભી થઈ છે. કેન્દ્ર સરકારે નવું પરિપત્ર જાહેર કરીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને શહેરી સમૂહોને અપડેટ કરવા માટે પ્રોફોર્માનો સેટ મોકલ્યો છે. આ પ્રક્રિયા હેઠળ 2011ની વસતી ગણતરી પછી થયેલા વિસ્તાર, વિલીનીકરણ અને પુનઃગઠનની વિગતો માંગવામાં આવી છે. રજિસ્ટ્રાર જનરલ અને વસતી...