એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ઈન્દોર ડબ્બા ટ્રેડિંગ કેસમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. તપાસ હેઠળ લગભગ 34.26 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ મિલકતો વિશાલ અગ્રવાલ, તરુણ શ્રીવાસ્તવ, હિતેશ અગ્રવાલ, ધર્મેશ ત્રિવેદી, શ્રીનિવાસન રામાસ્વામી, કરણ સોલંકી, ધવલ જૈન અને તેમના પરિવારજનોની હોવાનું કહેવાય છે. ઈડીની આ કાર્યવાહી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ...
ભારતને નવા ઉપરાષ્ટ્રપતિ મળ્યા: NDA ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન 452 મત સાથે વિજેતા
ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણને વિજય નોંધાવ્યો છે. આ ચૂંટણીમાં કુલ 767 સાંસદોએ મતદાન કર્યું હતું, જેમાંથી 752 મત માન્ય અને 16 મત અમાન્ય ગણાયા. પરિણામ મુજબ રાધાકૃષ્ણને 452 મત મળ્યા જ્યારે વિપક્ષના ઇન્ડિયા બ્લોકના ઉમેદવાર જસ્ટિસ બી. સુદર્શન રેડ્ડીને માત્ર 300...
સાંતલપુરમાં નદી દુર્ઘટના: ત્રણના મોત, અનેક ગુમ, SDRF દ્વારા શોધખોળ ચાલુ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આજે (9 સપ્ટેમ્બર) બે અલગ અલગ સ્થળોએ બનેલી ડૂબવાની દુર્ઘટનાઓને કારણે વિસ્તારમાં શોકનું મોજું છવાઈ ગયું છે. મળતી માહિતી મુજબ, પ્રથમ બનાવ સાંતલપુર વિસ્તારમાં બન્યો હતો, જ્યાં નદીના તેજ વહેણમાં ત્રણ લોકો તણાઈ ગયા હતા. આ ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તેમજ સ્થાનિક તરવૈયાઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા...
વૃંદાવનમાં યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ, સંત પ્રેમાનંદ મહારાજે કહ્યુ – ‘આ કુદરતી આપત્તિ નથી, પ્રકૃતિનો ભાગ છે’
ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં યમુના નદીના વધતા જળસ્તરથી શહેરમાં પરિસ્થિતિ કાબૂની બહાર થઈ છે. નદી ખતરાના નિશાનની ઉપરથી વહી રહી છે, અને નીચાણવાળા વિસ્તારોમાં ખેતરો, ઘરોથી લઈને મંદિરો સુધી બધું જ જળમગ્ન થયું છે. ખાસ કરીને બાંકે બિહારી મંદિર તરફ જતા વીઆઈપી રોડ પર ચારથી પાંચ ફૂટ પાણી ભરાઈ ગયું છે, જેના કારણે સ્થાનિક...
એશિયા કપ 2025: આ 4 ખેલાડી બની શકે છે મેચના ગેમ ચેન્જર
એશિયા કપ 2025ની શરૂઆત આજથી મંગળવારે શરૂ થઈ રહી છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચ આબુ ધાબીના શેખ જાયદ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન અને હૉંગકૉંગ વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમો ભાગ લઈ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો 14 સપ્ટેમ્બરે યોજાશે. દર વખતે જેમ કે ગેમ ચેન્જર્સ ઊભા થતાં હોય છે, આ વખતે પણ કેટલાક...
જામનગરમાં કોંગ્રેસ પ્રમુખે જન્મદિવસ રસ્તાના ખાડા ભરીને ઉજવ્યો
જામનગર શહેરમાં રોડ-રસ્તાઓની બગાડી અને ટ્રાફિક સમસ્યાઓને લઈને શહેર કોંગ્રેસ એ વર્ષોથી આગેવાની કરવામાં આવી છે. આંદોલન અને પ્રદર્શનના ઘણા પ્રયાસો છતાં તંત્ર તરફથી કોઈ અસરકારક પગલાં લેવાતા નથી. એવા સંદર્ભમાં, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજાએ તેમના જન્મદિવસને અનોખી રીતથી ઉજવ્યો – ખાડા સ્વખર્ચે ભરીને માર્ગને સુરક્ષિત બનાવવા પ્રયાસ કર્યો. કોઈ સામાન્ય ઉજવણીના બદલે,...
સિયાચેનમાં હિમસ્ખલન, ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ, રાહત કામગીરી શરૂ
દુનિયાના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રમાં ગણાતા સિયાચેન ગ્લેશિયરમાં હિમસ્ખલનના કારણે ભારતીય સેનાના ત્રણ જવાનો શહીદ થયા છે. પ્રારંભિક જાણકારી મુજબ, સેનાની એક પોસ્ટ હિમસ્ખલનની ઝપેટમાં આવી ગઈ, જેનાથી આ દુર્ઘટના સર્જાઈ હતી. સેનાએ ઘટનાની જાણ થતા તરત જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. લેહ અને ઉધમપુરથી વધારાની ટીમો પણ તાત્કાલિક મદદ માટે મોકલવામાં આવી...
નેપાળમાં હિંસક આંદોલન: કાઠમંડુ એરપોર્ટ બંધ, ભારતીય ફ્લાઈટ્સ રદ, હેલ્પલાઈન જાહેર
નેપાળમાં ચાલી રહેલા હિંસક Gen Z આંદોલનને કારણે કાઠમંડુ એરપોર્ટ તાત્કાલિક અસરથી બંધ કરી દેવાયો છે અને ભારતની એર ઈન્ડિયા તેમજ ઈન્ડિગોએ દિલ્હી-કાઠમંડુ વચ્ચેની તમામ ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયાએ જાહેર કર્યું છે કે મુસાફરો અને ક્રૂ સભ્યોની સુરક્ષા અમારી પ્રથમ પ્રાથમિકતા છે. દિલ્હીથી કાઠમંડુ જતી ચાર મુખ્ય ફ્લાઈટ્સ — AI2231/2232, AI2219/2220, AI217/218 અને...
હિમાચલ પ્રદેશમાં પૂર આફત: પીએમ મોદીએ હવાઈ સર્વે કરીને 1500 કરોડની સહાયની કરી જાહેરાત
હિમાચલ પ્રદેશમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને ભૂસ્ખલનથી સર્જાયેલી કુદરતી આફતને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પૂરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો અને તરત જ રૂ. 1500 કરોડની નાણાકીય સહાય પેકેજ જાહેર કર્યું. પીએમએ મૃતકોના પરિવારોને રૂ. 2-2 લાખ તથા ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય આપવાની જાહેરાત કરી. સર્વે બાદ વડાપ્રધાને પીડિત પરિવારો સાથે મુલાકાત કરી તેમની...
વાપી શહેર કોંગ્રેસનો આક્રોશ: રેલવે ફ્લાય ઓવરનું નિર્માણ ત્રણ વર્ષ બાદ પણ અધૂરું, તાળાબંધીની ચિમકી
વાપી: ત્રણ વર્ષ બાદ પણ રેલવે ફ્લાય ઓવરનું નિર્માણ અધૂરું રહેતા લોકોની ભારે હાલાકી સામે વાપી શહેર કોંગ્રેસે મંગળવારે મોરચો કાઢ્યો અને પીડબ્લ્યુ વિભાગના અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું. કોંગ્રેસે ચેતવણી આપી કે જો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ નહીં આવે તો કચેરીને તાળાબંધી કરવામાં આવશે. ત્રણ વર્ષ પહેલાં વાપી પૂર્વ અને પશ્ચિમને જોડતો જુનો રેલવે ફ્લાય ઓવર તોડી...









